84 Bethakji of Shree Mahaprabhuji (Part-3)
૨૫ મી બેઠક શ્રીઅયોધ્યામાં અયોધ્યા સરયુ નદીના કાંઠે સ્થિત છે. અહીં શ્રી હનુમાનજીએ શ્રીમહાપ્રભુજીને પૂછ્યું , કે શ્રીકૃષ્ણ ના ભક્ત હોવા છતાં તમે અહીં શ્રીરામની ભૂમિમાં કેમ આવ્યા ? શ્રીમહાપ્રભુજીએ જવાબ આપ્યો કે તેઓ કૃષ્ણના સાસરે આવ્યા છે તેમણે સમજાવ્યું કે અગ્રિજિત અયોધ્યાના રાજા છે. એકવાર તેણે ઘોષણા કરી કે તેની પાસે સાત ભીષણ બળદ છે જે વ્યક્તિ તેમને કાબુમાં કરી લેશે તે તેની પુત્રી સત્યાનો હાથ તેના હાથમાં આપી દેશે. કૃષ્ણએ બળદને પોતાના કાબુમાં કરી લીધા અને સત્યાનો પોતાની પત્ની તરીકે સ્વીકાર કર્યો. શ્રીમહાપ્રભુજીએ ત્યારે હનુમાનજીને કહ્યું કે નગ્ન અવસ્થામાં આવી પવિત્ર ભૂમિમાં પ્રવચન ન સાંભળો. તે દિવસથી હનુમાનજી હંમેશા કપડા પહેરતા. હનુમાનજીના કપડાના પ્રતિક રૂપે શ્રીરામ કથામાં નાનકડું કાપડ મૂકવું એ હવે પરંપરા છે. બેઠકનું સરનામું : રામઘાટ , તુલસી ઉધયન , નવા ઘાટ પાસે પોસ્ટ અયોધ્યા- ૨૨૪૧૨૩ , જિ. ફૈઝાબાદ , ઉત્તરપ્રદેશ સંપર્ક : શ્રીહરિશરણ મુખિયાજી : ૦૫૨૭૮-૨૩૨૦૩૩ , ૦૯૪૧૫૪૬૦૨૮૦ ૨૬ મી બેઠક શ્રીનૈમિષારણ્યમાં અહીં ગોમતી તળાવ પાસે શ્રીમહાપ્રભુજી