Balbodh with meaning
नत्वा हरिं सदानन्दं सर्व सिद्धान्त संग्रहम । बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम ॥ १ ॥ સદા આનંદ-સ્વરૂપ શ્રીહરિને નમન કરીને , (ધર્મમાં નવો પ્રવેશ કરનારાં) બાળકને સારી રીતે જ્ઞાન થાય તે માટે , સર્વ સિદ્ધાંતોનો સાર , હું સર્વ પ્રમાણોથી નિશ્ચયપૂર્વક કહું છું. धर्मार्थकाममोक्षाख्यास्च त्वारो s र्था मनीषिणाम । जीवेश्वर विचारेण द्विधा ते हि निरूपिताः ॥ २ ॥ ધર્મ , અર્થ , કામ અને મોક્ષ આ બુદ્ધિમાન મનુષ્યોના ચાર પુરૂષર્થો કહ્યા છે. તે જીવ અને ઈશ્વર બે પ્રકારે વિચારાયા છે. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुता । लौकिकाऋषिभिः प्रोक्ताअं स्तथैवैश्वरशिक्षया ॥ ३ ॥ યજ્ઞાદિ સાધ્ય કરવા માટે ઘી વગેરે સાધનોથી યુક્ત એવા ઈશ્વર વિચારિત પુરુષાર્થો વેદમાં કહેલા છે , તેમ જે ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ એટલે કે જીવે વિચારેલા લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે. लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्या यतः स्थिता :। धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि च क्रमात ॥ ४ ॥ त्रिवर्ग साधका नीति न तन्न...