પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનામહારાણીજી નો પ્રભાવ
શ્રી યમુના મહારાણીજી પુષ્ટિમાર્ગમાં બે મૈયા સુપ્રસિદ્ધ છે. એક શ્રીયશોદામૈયા અને શ્રીયમુનામૈયા. શ્રીયશોદાજી ભગવાન શ્રીકૃષ્ણનાં મૈયા છે , તો શ્રીયમુનાજી ભક્તોનાં મૈયા છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયમાં શ્રીનાથજી અને શ્રીમહાપ્રભુજી પ્રત્યે પૂર્ણભાવ હોવા છતાં , શ્રીયમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતુ અગ્રસ્થાન છે. સખ્યભાવવાળા ભક્તોનાં હૃદયમાં શ્રીયમુનાજી શ્રીમહારાણીજી અને શ્રીપ્રભુનાં ચતુર્થપ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે. શ્રીયમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ-૬ ના દિવસે મનાય છે. આનંદમય શુદ્ધ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર રહેલા શ્રીનારાયણના હૃદયમાંથી પ્રવીભૂત રસાત્મક શ્રીયમુનાજી પ્રગટ થયાં છે , અલૌકિક રવિમંડળમાંથી કલિંદ પર્વત પર અવતરીને તેઓ પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે પ્રગટ થયાં છે. યમુના નામનો અર્થ આ પ્રમાણે છે. યમ+ઉના=યમુના. યમ એટલે ધર્મરાજા , ઉના એટલે નાનાં બહેન , આધિદૈવિક ધર્મરાજાનાં નાનાબહેન. બીજો અર્થ છે યમયતી-જે જીવોને પ્રભુ પાસે લઈ જાય છે , તે શ્રીયમુનાજી. શ્રીયમુનાજીના છ ગુણ: ઐશ્વર્ય : ભગવાનની જેમ શ્રીયમુનાજીના ગુણોની ગણતરી પણ અશક્ય છે. આ અગણિત ગુણો