શ્રી પંચમી પરમ મંગળ દિન, મદન મહોત્સવ આજ...
પુષ્ટિમાર્ગીય ઉત્સવ પરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્વ છે. વસંત ને ઋતુરાજ કહ્યો છે. વસંત ઋતુના માસ ફાગણ અને ચૈત્ર છે પરંતુ આપણે ત્યાં વસંતોત્સવ શરૂ થાય વસંતપંચમીથી કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાંથી થાય. પરિણામે પુષ્ટિમાર્ગમાં ૪૦ દિવસ પહેલાંથી વસંતોત્સવની ઉજવણી શરૂ થઈ છે. વ્રજભકતો સાથે પ્રભુ ૪૦ દિવસ હોરી ખેલે. ભગવદીયો હોરીખેલની એ રસલીલાનાં દર્શન કરી તેનો સુખાનુભવ કરે, એ લીલાનું ગાન કરે અને એ કિર્તનો દ્વારા આપણા જેવા જીવોને પણ એ દર્શન કરાવે.
શીતકાલને વિદાય આપવાનો અને નવા શૃંગાર સજતી પ્રકૃતિને આવકારવાનો આ ઉત્સવ છે. કામદેવનો જન્મદિવસ એટલે વસંતપંચમી પરિણામે આ ઉત્સવ મદન મહોત્સવ પણ કહેવાય છે. પ્રિય-પ્રિયતમને રસભર્યા વ્રજભકતોને ૪૦ દિવસ સુધી હોરી ખેલાવે છે. અબીલ, ગુલાલ, ચોવા, ચંદન, કેસર રંગથી રંગી દે. હોરીની વિવિધ રસભરી ગારી (ગાળો) પણ ગાય! પ્રિય-પ્રીયતમ પરસ્પર પણ હોરી ખેલે વળી કોઈવાર ગોપીજનો શ્રીઠાકોરજીને પોતાના ઝુંડમાં લઈ જઈ સખીવેશ પણ પહેરાવી દે. ફગુવા લઈને જ છોડે.
પુષ્ટિમાર્ગમાં વસંતપંચમીના દિવસે રાજભોગ પછી ‘વસંત અધિવાસન’ (વસંત પુજા) થાય છે. અષ્ટદલ બનાવીને તેની ઉપર કળશ મૂકવામાં આવે છે. પવિત્ર પાણીને કળશમાં રેડવામાં આવે છે અને પાંચ શાખાઓ ખજૂર, કેરીની કળી, જવ, બોર, સરસો મૂકવામાં આવે છે. કળશને લાલ રંગનું કપડું વિટાળેલું હોય છે. માલાજી અને ઉપરણા ધરાવ્યા પછી કળશ પર કુમકુમ અને ચોખા છાટવામાં આવે છે. આ રીતે વસંત અધિવાસન થાય છે.
આ ૪૦ દિવસ દરમિયાન શ્રી પ્રભુને મસ્તક ઉપર કુલ્હે(શ્રીંગાર) ધરવવામાં આવતા નથી. શ્રી ઠાકોરજી તરફ વાત્સલ્યના ભાવથી કુલ્હે ધરાવવામાં આવે છે, પણ આ દિવસોમાં માધુર્ય ભાવ હોય છે. ખેલ દરમિયાન શ્રીઠાકોરજીના ચરણારવિંદ, ઝારીજી, બંતાજીને કપડાથી ઠાંકવામાં આવે છે કારણ કે જો ભક્ત ઠાકોરજીના ચરણરવિંદને ખેલ દરમિયાન જુએ છે, તો દાસ્યભાવ આવે છે અને માધુર્ય ભાવ અદૃશ્ય થઈ જાય છે
વસંતઉત્સવ ના ૪૦ દિવસ:
૪૦ દિવસની સેવામાં ૧૦ દિવસ વસંત, ૧૦ દિવસ ધમાર, ૧૦ દિવસ ફાગ અને છેલ્લા ૧૦ દિવસ હોરી. આમ, વસંતઉત્સવ ૪૦ દિવસ માટે મનાવવામાં આવે છે.
વસંત ખેલ: આ દિવસોમાં, મુખ્ય રસ શાંત હોય છે. યુગલસ્વરૂપને ફકત થોડો ખેલ કરવવામાં આવે છે. યુગલસ્વરૂપ પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લે છે.
ધમાર ખેલ: હોળીના ખેલાડીઓનું જૂથ ભેગા થાય છે અને વ્રજના જુદા જુદા ઘરોમાં હોળીના સૌથી સક્રિય સભ્યને લેવા માટે જાય છે. તે વ્યક્તિ જે પણ પરિસ્થિતીમાં હોય, તે જૂથ તે સભ્યને મોહિત કરે છે અને બળજબરીથી તેને જૂથમાં સમાવે છે.
ફાગ: આમાં, જૂથોના બધા ગ્વાલબાળકો, નાચતા અને ગાતાં, વ્રજની દરેક ગલીઓમાં પ્રવેશ કરે છે અને જે કોઈ માર્ગ પર આવે છે, તેને રંગી દે છે અને હોળીનો ઉત્સવ માણે છે. આ દિવસોમાં પિચકારીનો ઉપયોગ આનંદ માટે પણ થાય છે. પિચકારીનો ઉપયોગ અન્ય લોકો પર રંગીન પાણી છાટવા માટે કરવામાં આવે છે.
હોરી: હોરી ખેલમાં, બે જૂથો રચાય છે. એક ગ્વાલબળકોનું અને બીજું ગોપીજનોનું. ખેલ ગામની બહાર વ્રજની ચોકમાં શરૂ થાય છે. બને જૂથો બીજાની માલિકીની કોઈ પણ વસ્તુ છીનવી લેવાનો પ્રયાસ કરે છે અને બીજું જૂથ તે વસ્તુ ફરીથી મેળવવાનો પ્રયાસ કરે છે. આ રીતે શ્રીગોપીજનો શ્રીઠાકોરજીની વાંસળી(મુરલી) છીનવી લે છે અને પછી ઠાકોરજીનું જૂથ ગોપીજનોથી તે વાંસળી પછી મેળવવા માટે ઘણી રીતોથી યોજના ઘડી કાઢે છે.
અતી સુંદર.. 🙏🙏
જવાબ આપોકાઢી નાખોHappy vasantpanchmi
જવાબ આપોકાઢી નાખોjay shree krishna..
જવાબ આપોકાઢી નાખો