Narasimha Jayanti
નરસિંહ ભગવાન ભક્તના મનોરથ પૂર્ણ કરનાર એવા ભગવાન નરસિંહ ના પ્રાગટ્ય ની મંગળ બધાઇ. જય જય શ્રીનરસિંહ હરિ || યહ જગદીશ ભક્તભય મોચન ખંભ ફારી પ્રગટે કરુણા કરી || ૧ || હિરણ્યકશિપુકો નખન બિદાર્યો તિલક દિયો પ્રહલાદ અભયશિર || પરમાનંદદાસ કો ઠાકુર નામ લેત સબ પાપ જાત જર || ૨ || હિન્દુ પંચાંગ અનુસાર , નરસિંહ જયંતિનો ઉત્સવ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ તિથી પર ઉજવવામાં આવે છે. પુરાણોમાં જણાવેલ કથાઓ મુજબ આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદ ની રક્ષા માટે નરસિંહ રૂપમાં અવતાર લીધો હતો. ભગવાન નરસિંહના પ્રાગટ્યની કથા અનુસાર તેમના ભાઈના મૃત્યુનો બદલો લેવા રાક્ષસ રાજા હિરણ્યકશિપુ એ સખત તપશ્ચર્યા કરીને બ્રહ્માજી પાસે અમર બનવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે પૃથ્વીનો લય થાય ત્યારે મારો પણ નાશ થાઇ જય છે અને કહ્યું બીજું કાઇ માંગ. હિરણ્યકશિપુએ માંગ્યું : હું દિવસે ન મરું , રાત્રે ન મરું. ઘરની અંદર ન મરું , બહાર ન મરું , મનુષ્યથી ન મરું , પશુંથી ન મરું , અસ્ત્રથી ન મરું , શસ્ત્રથી ન મરું. બારેય મહિનામાં ન મરું. આકાશ પર ન મરું , જમીન પર ન મરું. બ્રહ્મા