Narasimha Jayanti
નરસિંહ ભગવાન |
ભક્તના મનોરથ પૂર્ણ કરનાર એવા ભગવાન નરસિંહના પ્રાગટ્ય ની મંગળ બધાઇ.
જય જય શ્રીનરસિંહ હરિ ||
હિન્દુ
પંચાંગ અનુસાર, નરસિંહ જયંતિનો ઉત્સવ વૈશાખ મહિનાની શુક્લ
પક્ષની ચૌદશ તિથી પર ઉજવવામાં આવે છે. પુરાણોમાં જણાવેલ કથાઓ મુજબ આ પવિત્ર
દિવસે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહ રૂપમાં અવતાર લીધો હતો.
નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશિપુ નો વધ |
હિરણ્યકશિપુને વરદાન મળતાની સાથે જ તેણે લોકોને સતાવવાનું શરૂ કર્યું અને વિવિધ રીતે અત્યાચાર ગુજારવા અને ત્રાસ આપવાનું શરૂ કર્યું. જેના કારણે લોકો અત્યંત દુ:ખી થવા લાગ્યા. આ દિવસોમાં, હિરણ્યકશિપુની પત્ની ક્યાધુએ પ્રહલાદ નામના એક પુત્રને જન્મ આપ્યો. રાક્ષસ કુળમાં જન્મ્યા પછી પણ પ્રહલાદને શ્રીહરિ ભક્તિ પ્રત્યે ખૂબ લગાવ હતો. હિરણ્યકશિપુએ પ્રહલાદના મનમાંથી ભગવદ ભક્તિ દૂર કરવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે સફળ થયો નહીં. બધાજ પ્રયત્નો કરીને થાક્યો, પછી એક થાંભલાને અગ્નિથી તપાવ્યો, એટલો તપાવ્યો કે લાલ ચોળ તાંબાનો થઈ ગયો. પ્રહલાદને ઉભો રાખ્યો અને કહ્યું કે તારો પરમાત્મા જેને તું ભજે છે એ છે ક્યાં? બતાવ મારે જોવો છે. પ્રહલાદ કહે પિતાજી પ્રશ્ન જ ખોટો છે. એ ક્યાં છે એમ ન પૂછાય, એ ક્યાં નથી? એ તો બધે જ છે. ત્યારે પિતાએ એમ કહ્યું કે મારે જોવો છે. ત્યારે પ્રહલાદજી મનોમન અતિ પ્રસન થઈ ગયા અને પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ કૃપા કરજો. આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે. આજે એને દર્શન આપી દો. પિતાએ પૂછ્યું : આ થાંભલામાં છે? પ્રહલાદજી કહ્યું હા થાંભલામાં પણ છે મારો ભગવાન. પિતાએ કહ્યું તો ભેટ જઈને એને અને એક એક ડગલું ભગવાનનું નામ લેતા લેતા પ્રહલાદજી આગળ વધવા લાગ્યા અને જ્યાં થાંભલાને બાથ ભીડી ધડાક થઈને શોર થયો અને નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. હિરણ્યકશિપુએ ભગવાનને જોયા અને પોતાની ગદા લઈને મારવા દોડ્યો. ભગવાને હિરણ્યકશિપુને ગોદમાં લઈ લીધો અને ગોદમાં લઈને ઉમરા પાસે આવ્યા. પોતાની ગોદમાં સુવડાવ્યો અને કહ્યું જો આ આકાશમાં નથી, જમીન પર નથી, મારી ગોદમાં છો. મારી સામે જો, હું નર નથી, પશું નથી, જો તું ઘરની અંદર નથી, બહાર નથી, ઉમરા પર છો. મારા નખો ને જો, આ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી. બારે માહિનામાં એકેય મહિનો નથી, અધિકમાસ ચાલે છે. દિવસ નથી, રાત નથી, સંધ્યાકાલ છે. નખોને ભીતર ઘુસાડી ચીરી નાખ્યો હિરણ્યકશિપુને. જ્યાં હિરણ્યકશિપુનો વધ થયો આકાશમાં દેવતાઓ વિમાન લઈને આવી ગયા, પુષ્પ વર્ષા કરવા લાગ્યા અને જયજયકાર કરવા લાગ્યા.
શ્રીનરસિંહ
ભગવાનના પ્રાગટ્યથી આપણે બધાએ એક વાત સમજવા જેવી છે કે જીવનમાં કેવા કેવા
પ્રતિબંધો હોય તો પણ ભક્ત પર કરુણા કરવા ભગવાન કેવા કેવા રસ્તાઓ ગોતી લે છે.
ભક્તોએ ભગવાન પર ભરોસો રાખવો. આપણને એવું લાગતું હોઈ કે મારા બધા જ દરવાજા બંધ થઈ
ગયા પણ યાદ રાખજો કોઈ એક બારીતો ભગવાને ખૂલી રાખીજ હશે અને એ બારીએથી ભગવાન તમારા
સુધી પહોંચી જશે કૃપા કરવા માટે. એટલે ક્યારેય પણ ગમે એવા સંજોગો આવે ભગવાન પરથી
ભરોસો ઉઠાવવો નહીં. એ ક્યાંથી ને ક્યાંથી રસ્તો કાઢી લેશે, કોઈને નિમિત બનાવી લેશે એટલા માટે ભરોસો ગુમાવવો નહીં.
શ્રીનરસિંહ
જયંતિ ના ઉત્સવનો બીજો પ્રસંગ પણ ખૂબ સુંદર છે. શ્રીજી મથુરામાં સતઘરામાં મહા વદ ૭
થી વૈશાખ સુદ ૧૪સુધી રહ્યા હતા. વૈશાખ સુદ ૧૪ ના દિવસે શ્રીજી ગિરિરાજજી પર પરત
ફર્યા. શ્રીજી મથુરામાં ૨ મહિના ૨૧ દિવસ રહ્યા. આ સમય દરમિયાન શ્રીગિરિધરજીએ વિવિધ
મનોરથોથી શ્રીજીને લાડ લડાવ્યા. હોળી ખેલના દિવસો હોવાથી શ્રીજી શ્રીગુસાંઇજીના
બાળકો, બહુજીઓ અને બેટીજીઓ સાથે ખૂબ હોળી રમ્યા અને ખૂબ આશીર્વાદ આપ્યા.
ચતુર્ભુજદાસ |
ભારતભરના
પુષ્ટિમાર્ગીય મંદિરોમાં, આ દિવસે સાંજે નરસિંહ જન્મના
દર્શન થાય છે. શ્રીજીને શીતળ પન્નો અને લીલોમેવો પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી અવશ્ય
ધરાય છે.
આજનો
સાજ સંપૂર્ણપણે સફેદ હોય છે અને રૂપેરી તૂઈ વાળું કેસરી મલમલનુ વસ્ત્ર હોય છે.
શ્રીમસ્તકે ૩ ચંદ્રિકાની કુલહેની જોડ અને મોતીના બધા શૃંગાર હોય છે. વાઘનખ અને વાઘ
મધ વાળા કળાએ આ દિવસના મુખ્ય શૃંગાર છે. સત્વો અને દહીંભાત એ આ દિવસની મુખ્ય
સામગ્રી છે.
આ
દિવસે પંચામૃત સ્નાન સાંજે કરાવવામાં આવે છે. આ દિવસથી દર ચોથા દિવસે શ્રીજીને
અભ્યંગ સ્નાન કરાવવામાં આવે છે.
narsinh jayanti n badhai ho........
જવાબ આપોકાઢી નાખો🦁श्री नृसिंह जयंती उत्सव की परम मंगल बधाई हो 🙏🏻🌹
જવાબ આપોકાઢી નાખો