All about Yamunashtakam
ગ્રંથરચના શ્રીમહાપ્રભુજી ચૌદ વર્ષની વયે પહેલી વખત ગોકુળ પધાર્યા. શ્રીયમુનાજીના કિનારે તેમને શ્રીયમુનાજીના જળ સ્વરૂપે દર્શન થયા. તેઓ પુરાણોમાં બતાવેલા શ્રીયમુનાજીના માહાત્મ્યને પણ સારી રીતે જાણતા હતા. તેમણે પૃથ્વી છંદમાં શ્રીયમુનાષ્ટક રચીને શ્રીયમુનાજીની સ્તુતિ કરી. સવંત ૧૫૪૯ના શ્રાવણ સુદ ત્રીજ(ઠકુરાની ત્રીજ)ના રોજ શ્રીયમુનાષ્ટકની રચના ગોકુળમાં કરી. શ્રીયમુના સ્વરૂપ:- શ્રીયમુનાજીના ત્રણ સ્વરૂપ – આધિદૈવિક , આધ્યાત્મિક અને આધિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે શ્રીપ્રભુના શ્રીસ્વામીનિજીનું સ્વરૂપ , જે સ્વરૂપના દર્શન આપણે ચિત્રમાં કરીએ છીએ. આધિભૌતિક સ્વરૂપ એટલે નદીરૂપે વહેતું જળ સ્વરૂપ , જેના દર્શન આપણી આંખોથી થાય છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમનું શક્તિ-સામર્થ્ય સ્વરૂપ , તેનો અનુભવ થાય. તે આંખોથી ન દેખાય. શ્રીપ્રભુની મુખ્ય બાર શક્તિઓ , તેમાંય મુખ્ય બે - આલ્હાદિની શક્તિ અને કૃપાશક્તિ. આલ્હાદિની શક્તિ શ્રીરાધાજી અને કૃપાશક્તિ શ્રીયમુનાજી , શ્રીયમુનાજીનાં આ ત્રણ સ્વરૂપોનો પરિચય શ્રીમહાપ્રભુજી શ્રીયમુનાષ્ટકમાં કરાવે છે. શ્રીયમુનાજીના ગુણો:- શ્રીમહાપ્રભુજી શ્રીયમુનાજ