84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)
· પ્રથમ બેઠક શ્રીગોકુલમાં શ્રીગોવિંદઘાટ પ્રથમ બેઠક યમુના નદીના કાંઠે ગોવિંદઘાટ પર છોકરના ઝાડ નીચે છે. તેમની પ્રથમ યાત્રા દરમિયાન અહીં દામોદરદાસ હરસાનીજીને સવાલ પૂછ્યો હતો: “દમલા આ ગોવિંદઘાટ છે કે ઠકુરાની ઘાટ” ? તે જ ક્ષણે દૈવી આભૂષણોથી શણગારેલી એક સુંદર યુવતી દેખાઈ અને બોલી , “આ ગોવિંદ ઘાટ છે , ઠકુરાની ઘાટ તમારી જમણી તરફ છે.” આ દિવ્ય સ્ત્રી શ્રીયમુનાજી હતા. શ્રીયમુનાજીને જોતાં જ શ્રીવલ્લભે તેમની પ્રશંસામાં યમુનાષ્ટક ગાયું. અહીં શ્રીનાથજી (ભગવાન શ્રીકૃષ્ણ) શ્રીમહાપ્રભુજીની સમક્ષ હજાર થયા અને તેમણે બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો. શ્રીમહાપ્રભુજીએ ત્યારબાદ શ્રીનાથજીને ધોતી , ઉપરણા અને પવિત્રું ધરાવ્યું. બીજા દિવસે શ્રીદામોદરદાસ હરસાનીજીને પ્રથમ બ્રહ્મસંબંધ મંત્ર શ્રીમહાપ્રભુજીએ આપ્યો. તે પુષ્ટિમાર્ગમાં પ્રથમ વૈષ્ણવ થયા. બેઠકનું સરનામું: ગોવિંદઘાટ પાસે , ગોકુળ-૨૮૧૩૦૩ જિ. મથુરા , ઉત્તરપ્રદેશ. ગામ-ગોકુલ સંપર્ક : સુરેશભાઈ મુખિયાજી – ૦૯૩૫૮૭૦૬૧૭૬ , અમિતભાઈ મુખિયાજી – ૦૯૬૭૫૬૧૩૫૩૨ · બીજી બેઠક બડી બેઠક શ્રીમહાપ્રભુજી અહીં ભોજન લેતા અને દિવ્ય પ્રવચનો આપતા. શ્રીનાથજીએ