Bramhsambandh: Pushtimargiya diksha
પુષ્ટિમાર્ગમાં ‘બ્રહ્મસંબંધ દીક્ષા' લીધા પછી જ વ્યક્તિ 'પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ' બને છે. બ્રહ્મસંબંધ એ પુષ્ટિમાર્ગમાં જીવનો પ્રવેશ છે. તે એક દીક્ષા છે જે ફક્ત વલ્લભકુલ આચાર્યો દ્વારા જ આપી શકાય છે, આ પૃથ્વી પર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આ દીક્ષા નથી અપાતી. પ્રથમ બ્રહ્મસંબંધ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી દામોદરદાસજી હરસાણીને આપ્યું હતું. ‘બ્રહ્મસંબંધ' શબ્દ બે શબ્દો 'બ્રહ્મ' એટલે પ્રભુ અને 'સંબધ' એટલે સંબંધ/જોડાણથી બનેલો છે. ઘણા વર્ષોથી જીવ ભગવાનથી છૂટો પડેલો છે. છૂટા પડવાથી તેનામાં ભગવાનનો આનંદ-ગુણ જતો રહ્યો છે. તે પોતાના સ્વરૂપની ઓળખાણ ભૂલી ગયો છે. ચોર્યાસી લાખ યોનિમાં ભટક્યા કરે છે, જન્મે છે અને મારે છે. આવી ભુલાઈ ગયેલી વાત આપણને આપણા ગુરુદેવ યાદ દેવડાવે અને ફરી ભગવાન સાથેનો આપણો સંબંધ જોડી આપે તે બ્રહ્મસંબંધ. બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન શ્રીકૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષો વીતી જવાથી, તેમને ફરી મળવા માટે હૃદયમાં જે તાપ-ક્લેશ થવો જોઈએ, તેનો આનંદ જેનામાં રહ્યો નથી તેવો હું જીવ, ભગવાન શ્રીકૃષ્ણ (