વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ
આપણો સમગ્ર ગૃહસ્થાશ્રમ શ્રીઠાકોરજી માટે છે. આપણા ગૃહસ્થાશ્રમના કેન્દ્રમાં શ્રીઠાકોરજી છે , એટલે ઘરની જે જે ફરજો આપણે નિભાવવાની હોય તે આપણા માથે પડી છે એવા વિચારોથી કરવી જોઈએ નહીં. દરેક ઘરકામ શ્રીઠાકોરજીની સેવાનો એક ભાગ છે એવી સમજથી કરવું જોઈએ. ઘરમાં કચરો વાળીએ , પોતું કરીએ , સાફસૂફી કરીએ , ઘરને વ્યવસ્થિત રાખીએ , એને સજાવીએ એ બધા પાછળ એવો વિચારભાવ રહેવો જોઈએ કે આ ઘરમાં શ્રીઠાકોરજી સદા બિરાજમાન છે. એમને શ્રમ ન થાય , એમનું સુખ સચવાય , એમને ખેલવાની પ્રસન્નતા રહે , એમને ઘર છોડીને જતા રહેવાનું મન ન થાય એટલા માટે હું આ ઘરને સ્વચ્છ-સુંદર રાખવાની સેવા કરું છું . શ્રીઠાકોરજીને લાડ લડાવાય એ માટે હું નોકરી કે વ્યવસાય કરવાની સેવા કરું છું. શ્રીઠાકોરજી માટે સુંદર સામગ્રીઓ બને એ ભાવથી હું રસોઈ કરું છું. શ્રીઠાકોરજીને એમ ન લાગે કે આ લોકો ગંદા છે એટલા માટે હું સ્નાન કરું છું , શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરું છું. આમ દરેક પ્રવૃતિ અને દરેક કાર્ય જે ઘરમાં શ્રીઠાકોરજીના સુખના વિચારને સાથે રાખી કરવામાં આવતું હોય તે ઘરનો ગૃહસ્થાશ્રમ વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ છે. વૈષ્ણવી ગૃહસ્થાશ્રમનું