84 Bethakji of Shree Mahaprabhuji (Part-6)

૬૧માં બેઠકજી શ્રીગોપી તલૈયામાં

      શ્રીમહાપ્રભુજીના બેઠકજી દ્વારિકા નજીકના એક નાનકડા ગામમાં સ્થિત છે. અહીં એક તળાવ આવેલું છે જેનું નામ ગોપી તલૈયા છે.

      કૃષ્ણદાસ મેઘને શ્રીમહાપ્રભુજીને પૂછ્યું કે ગોપીઓ હમેશા વ્રજમાં રહેતા હતા, તો પછી અહીંના તળાવનું નામ ગોપી તલૈયા કેમ પડ્યું?

      શ્રીમહાપ્રભુજીએ જવાબ આપુઓ કે, કૃષ્ણે તેમની રાણી રૂક્મનીની સામે વ્રજની ગોપીઓની પ્રશંસા કરી. તેમણે તેણેકહ્યું કે ગોપીઓ મધ્યરાત્રિએ મારી વાંસળીનો અવાજ સાંભળી બધુંજ છોડીને જંગલમાં મારી પાસે આવશે. હું નથી માનતો કે તમે આવું કરી શકો. રૂક્મણિએ વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો કે તે ચોક્કસપણે આવશે. તે દિવસે કૃષ્ણ ગોપી તલૈયા આવ્યા અને વાંસળી વગાડી. કૃષ્ણની અન્ય પત્નીઓ સાથે રૂક્મણી આભૂષણોથી સજેલી હતી. વાંસળીનો અવાજ સાંભળીને બધાએ મહેલ માંથી નીકળવાનું નક્કી કર્યું. ગેટ પર તેઓએ ઉગ્રસેન અને અન્ય વૃદ્ધ સંબંધીઓને જોયા, તેઓ તેમના રૂમમાં પાછા આવી ગયા. જ્યારે વ્રજની ગોપીઓએ વાંસળી સાંભળી, ત્યારે તેઓ બધું મૂકીને આ સ્થાન પર આવી ગયા. કૃષ્ણે આ તળાવ પર બધી ગોપીઓ સાથે રાસ કર્યો અને તેથી જ આ સ્થાન નું નામ ગોપી તલૈયા પડ્યું.   

બેઠકનું સરનામું : પોસ્ટ ગોપી તળાવ, દ્વારિકા-૩૬૧૩૩૫, ગુજરાત

સંપર્ક : શ્રીગોવિંદભાઇ મુખિયાજી : ૦૯૪૨૬૨૩૩૫૧૧

૬૨માં બેઠકજી શ્રીબેટ શંખોદ્વારમાં

      શ્રીમહાપ્રભુજીના બેઠકજી અહીં શંખ તળાવ ના કાંઠે સ્થિત છે.

      અહીં શ્રીકૃષ્ણે રાક્ષસ શંખાસુરનો વધ કર્યો હતો અને તેમનો શંખ લીધો હતો. ભગવાન શંખ નારાયણ આજ સુધી આ ક્ષેત્રમાં શાસન કરે છે. આ એક સુંદર ટાપુ છે અને અહીં ભગવાન દ્વારિકાધીશનું મંદિર પણ છે.

      અહીં શ્રીમહાપ્રભુજીના ભાગવત પારાયણ દરમિયાન ભગવાન શંખનારાયણ તેમની પાસે ગયા અને વિનંતી કરી કે તેઓ તેમની પાસેથી  વેણુગીત સાંભળવા માંગે છે. વેણુગીત શ્રીમદ ભાગવતના દશમ સ્કંધનો એક ભાગ છે.

      ત્રણ દિવસ અને રાત સુધી, શ્રીમહાપ્રભુજીએ માત્ર એક શ્લોક સમજાવ્યો. વૈષ્ણવો શ્રીમહાપ્રભુજીના દિવ્ય વચનામૃત સાંભળીણે એટલા મગ્ર થયા હતા કે તેઓ તેમની દિનચર્યા ભૂલી ગયા હતા અને કેટલાક બેભાન થઈ ગયા હતા. આ વચનામૃત સાંભળીને ભગવાન શંખનારાયણે શ્રીમહાપ્રભુજી ને કહ્યું કે તમે વાણીના પતિ છો.

બેઠકનું સરનામું : શંખ તળાવની ઉપર, પોસ્ટ બેટ(દ્વારિકા) – ૩૬૧૩૩૦, તાલુકા ઓખામંડળ, ગુજરાત

સંપર્ક : શ્રીઅતુલભાઈ મુખિયાજી : ૦૯૯૭૪૮૪૧૫૦૦

૬૩માં બેઠકજી શ્રીનારાયણ સરોવર ઉપર

      શ્રીમહાપ્રભુજીના બેઠકજી અહીં કચ્છ પ્રદેશમાં નારાયણ સરોવર તરીકે ઓળખાતા તળાવ પર સ્થિત છે. શ્રીમાર્કડેય ઋષિનો અહીં આશ્રમ હતો. ભગવાન આદિનારાયણ અહીં નારાયણ સરોવરમાંથી પ્રગટ થયા હતા.

      ભગવાન શિવ, શ્રીકોટેશ્વર મહાદેવના રૂપમાં, દરરોજ શ્રીમહાપ્રભુજીના ભાગવત પર વચનામૃત સાંભળવા આવતા. ભગવાન શિવનો એક ભક્ત હતો, જે શિવના દર્શન કર્યા વગર ભોજન લેતો નહીં. ભગવાન શિવ જ્યારે તેમના મંદિરે મોડા આવ્યા ત્યારે આ શિષ્ય તેની રાહ જોતો હતો. ભગવાન શિવે કહ્યું કે હું શ્રીમહાપ્રભુજીના વચનામૃત સાંભળવા ગયો હતો તેથી મોડું થયું. અહીં શ્રી દમોદરદાસ હરસાનિજીએ શ્રીમહાપ્રભુજીને સિંઘ પ્રદેશ(હવે પાકિસ્તાનમાં) જવા વિનંતી કરી. તેમણે જવાબ આપ્યો કે તે વિસ્તારમાં ઘણા દૈવી વૈષ્ણવો છે પરંતુ હું સરસ્વતી નદીને પર ન કરી શકું.

બેઠકનું સરનામું : પોસ્ટ નારાયણ સરોવર – ૩૭૦૬૨૭, તાલુકા : લખપત, જિ. કચ્છ, ગુજરાત

સંપર્ક : શ્રીવસંતભાઈ મુખિયાજી : ૦૯૯૭૯૩૬૫૬૨, ૦૨૮૩૯-૨૬૬૬૩૧

૬૪માં બેઠકજી શ્રીજુનાગઢમાં

     અહીંના બેઠકજી દામોદર અને રેવતી કુંડની વચ્ચે ગિરનાર પર્વતની તળેટીમાં સ્થિત છે. પ્રખ્યાત ગુજરાતી ભક્ત કવિ, નરસિંહ મેહતા અહીં રહેતા હતા.

      ગિરનાર અને રેવાચલ પર્વતોએ બ્રાહ્મણના રૂપ ધારણ કર્યા અને શ્રીમહાપ્રભુજી ને તેમના પર કૃપા કરવા વિનંતી કરી. શ્રીમહાપ્રભુજી તે પછી પર્વતની એક પથ્થર(શીલા) પર બેઠા, જે માખણ જેવી નરમ થઈ ગઈ.

      શ્રીમહાપ્રભુજીના ભાગવત પારાયણ દરમિયાન એક યોગી દરરોજ ત્યાં આવતા અને ધ્યાનપૂર્વક સાંભળતા. કૃષ્ણદાસ મેઘને પૂછ્યું કે આ યોગી કોણ છે? શ્રીમહાપ્રભુજીએ કહ્યું કે આ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાં છે. તે ગિરનાર પર્વતમાં રહે છે. અશ્વસ્થામાં આઠ અમર વ્યક્તિઓમાંના એક છે.

બેઠકનું સરનામું : દામોદર કુંડ, ગિરનાર રોડ, જુનાગઢ – ૩૬૨૦૦૧, ગુજરાત

સંપર્ક : શ્રીસુરજભાઈ મુખિયાજી : ૦૨૮૫-૨૬૨૪૧૦૮

૬૫માં બેઠકજી શ્રીપ્રભાસ ક્ષેત્રમાં

      શ્રીમહાપ્રભુજીના બેઠકજી વેરાવળ શહેરમાં હિરણ્યક નદી પાસે સ્થિત છે. આ તે જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો નશ્વર દેહ છોડી દીધો હતો. બેઠકજી ગુફાની અંદર સ્થિત છે. શ્રીબલરામ (ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ) પણ અહીં રહેતા હતા.

      અહીં શ્રીમહાપ્રભુજી ભાગવત પારાયણ કરતા. ભગવાન શિવ તેમને સાંભળવા આવતા. ભગવાન શિવે તેના શિષ્યને કહ્યું કે તું પણ શ્રીમહાપ્રભુજીના વચનામૃત સંભાળ. તેઓએ શ્રીમહાપ્રભુજીના વચનામૃત સાંભળ્યા અને વિનંતી કરી કે મને આપનો સેવક કરો. શ્રીમહાપ્રભુજીએ તેમને કહ્યું કે તમે તો શિવજીના અનુયાયી છો, તો તમે મારા સેવક કેમ બનવા માંગો છો? ભક્તે જવાબ આપ્યો કે શિવજીએ મને કહ્યું છે.

      પ્રખ્યાત સોમનાથ મંદિર આ ક્ષેત્રમાં છે.

બેઠકનું સરનામું : ત્રિવેણી સંગમ નદીની નજીક, પોસ્ટ પ્રભાસ પાટણ – ૩૬૨૨૬૮, તાલુકો પાટણ – વેરાવળ, જિ.જુનાગઢ, ગુજરાત

સંપર્ક : પ્રવિણભાઈ મુખિયાજી : ૦૨૮૭૬-૨૩૨૩૩૪

૬૬માં બેઠકજી શ્રીમાધવપુરમાં

      શ્રીમહાપ્રભુજીના બેઠકજી કદમ કુંડ પાસે સ્થિત છે. શ્રીકૃષ્ણએ ઋકમનીજીનું અપહરણ કર્યા પછી, તેઓએ અહીં લગ્ન કર્યા. બંનેએ આ તળાવમાં સ્નાન કર્યું હતું.

      ત્યારે શ્રીમહાપ્રભુજી ભગવાન માધવરાયજીના મંદિરે પધાર્યા ત્યારે ભગવાને શ્રીમહાપ્રભુજીને ફરિયાદ કરી કે તેમના પૂજારી તેમની સેવા યોગ્ય રીતે નથી કરી રહ્યા. તેમણે શ્રીમહાપ્રભુજીને યોગ્ય રીતે પુજા માટે બ્રાહ્મને તાલીમ આપવા કહ્યું. બીજા દિવસે શ્રીમહાપ્રભુજીએ તે બ્રાહ્મને સેવાની યોગ્ય રીત શીખવાડી. આ બ્રાહ્મણે પોતાની ભૂલ બદલ માફી માંગી અને યોગ્ય રીતે સેવા કરવાનું વચન આપ્યું.

બેઠકનું સરનામું: કદમકુંડ પાસે, પોસ્ટ માધવપુર(ઘેડ) – ૩૬૨૨૩૦, જિ.પોરબંદર, ગુજરાત

સંપર્ક : શ્રીપ્રદીપભાઇ ભટ્ટ : ૦૨૮૬-૨૨૭૨૩૪૪, ૦૯૮૯૮૨૦૬૭૬૬


બેઠકજી માં જતી વખતે આટલી બાબતો નું  ધ્યાન રાખો


૬૭માં બેઠકજી શ્રીગુપ્ત પ્રયાગમાં

            શ્રીમહાપપ્રભુજીના બેઠકજી ત્રિવેણી કુંડ પર સ્થિત છે. આ બેઠકજીનું પ્રવેશદ્વાર ખૂબ જ આકર્ષક છે.

      આ સ્થાનનું નામ ગુપ્ત પ્રયાગ છે, તેનું એક કારણ છે કે, સાસ્વત કલ્પમાં, પ્રખ્યાત તીર્થસ્થાન પ્રયાગ અહીં હતું. ત્રણેય નદીઓ – ગંગા, યમુના અને સરસ્વતી અહીં છે. ત્રિવેણીકુંડ ત્રણેય નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને આંતરિક રીતે જોડાયેલા છે.

      એક બ્રાહ્મણ ત્યાં પહોચ્યા અને શ્રીમહપ્રભુજીને કહ્યું કે, હું પંઢરપુરમાં રહું છું અને રોજ શ્રીભાગવતનો પાઠ કરું છું. ભગવાન વિઠ્ઠલનાથજી મારી ભક્તિથી પ્રસન થયા છે. મે તેમને વિનંતી કરી કે મારે વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલા જોવી છે. તેમણે કહ્યું કે શ્રીમહાપ્રભુજી ગુપ્ત પ્રયાગમાં તારી મનોકામના પૂર્ણ કરશે.

      શ્રીમહાપ્રભુજીએ તેમને તેમનો સેવક બનાવ્યો અને તેમને કહ્યું કે આઠ દિવસમાં તમે આ દેહ છોડશો અને વ્રજમાં ગોવર્ધન તળેટીમાં ગોપીનાથ ગ્વાલ તરીકે જન્મ લેશો.તમને ભગવાન શ્રીકૃષ્ણની ગાયોની સેવા સોંપવામાં આવશે અને કૃષ્ણની લીલાનો અનુભવ થશે.

બેઠકનું સરનામું : પોસ્ટ દેલવાડા – ૩૬૨૫૧૦, તાલુકો : ઉના, જિ.જુનાગઢ, ગુજરાત

સંપર્ક : શ્રીરાજુભાઇ મુખિયાજી : ૦૨૮૭૫-૨૬૯૩૪૫,૦૯૮૨૪૧૬૪૯૯૬


૬૮માં બેઠકજી તગડીમાં

        શ્રી મહાપ્રભુજીના બેઠકજી  અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકાના તગડીમાં  સ્થિત છે.

       શ્રી મહાપભુજી બ્રાહ્મણના ઘરની સામે જ રોકાયા હતા. બ્રાહ્મણ પાસે અમુક ગાય અને ભેંસ હતી જેના દૂધમાંથી તે માખણ બનાવતા હતા. એક દિવસ તેણે તેના બંને પુત્રોને તાજુ માખણ ખાતા જોયા. તે ખૂબ જ ખુશ થયા કારણ કે આથી તેને કૃષ્ણ અને બલરામની માખણ ખાવાની લીલાઓની યાદ આવી. તેમણે તરત જ બહાર નીકળીને શ્રી મહાપ્રભુજીને આ દિવ્ય લીલાના દર્શન કરવા માટે કહ્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ લીલા ના દર્શન તારી પત્નીને કરાવ. તેને ડર હતો કે જો તેણી પત્ની તેમણે માખણની ચોરી કરતા જોશે તો તે તેમને મારશે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તે તેમને મારશે નહીં.
       તે પછી બ્રાહ્મણે તેમના પુત્રોને ભેટીને કહ્યું, તમે ભગવાનની જેમ રમતા હતા. તે બધાએ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીને પ્રણામ કર્યા.
બેઠકનું સરનામું: તગડી - ૩૮૨૨૫૦, તાલુકો ધંધુકા, જિ. અહેમદાબાદ, ગુજરાત.
સંપર્ક: ૦૨૭૧૩ - ૨૩૨૫૨૧, ૦૨૭૧૩ – ૨૩૨૫૨૨

૬૯ માં બેઠકજી શ્રીનરોડામાં

       નરોડામાં (હાલ અમદાવાદનો ભાગ છે) શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ગોપાલદાસના ઘરે રહ્યા હતા.
       અહીં શ્રીમહાપ્રભુજીએ શ્રીકૃષ્ણ અને શ્રીનાથજીનું જ્ઞાન ગોપાલદાસને આપ્યું હતું. તેમને પુષ્ટિ માર્ગની દીક્ષા આપવામાં આવી હતી. શ્રી મહાપ્રભુજીએ તેમને શ્રી કૃષ્ણનું સ્વરૂપ સેવા કરવા માટે પધરાવી આપ્યું હતું.
       શ્રી મહાપ્રભુજીના વખાણમાં ગોપાલદાસે અનેક કીર્તનોની રચના કરી છે. તેમને વૈષ્ણવોને અષ્ટક્ષર મંત્ર (શ્રી કૃષ્ણ: શરણં મમ) આપવાની આજ્ઞા આપવામાં આવી છે.
બેઠકનું સરનામું : શ્રી વલ્લભાચાર્ય ચોક, નરોડા એરપોર્ટ રસ્તો, દેવી સિનેમા પાસે, નરોડા – ૩૮૨૩૩૦, અમદાવાદ, ગુજરાત.
સંપર્ક : શ્રીરાજુભાઇ મુખિયાજી : ૦૭૯-૨૨૮૧૩૪૪૪, ૦૯૮૨૫૦૨૨૧૮૭

૭૦માં બેઠકજી ગોધરામાં

       શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગોધરામાં શ્રી રાણા વ્યાસના ઘરે આવેલ છે.
       રાણા વ્યાસ વૈદિક સાહિત્યના મહાન વિદ્વાન હતા અને તેમના વ્યાપક શિક્ષણ પર તેમને ખૂબ ગર્વ હતો. વિવિધ હિન્દુ તત્વજ્ઞાન પરની ચર્ચામાં તેમણે ઘણા વિદ્વાનોને પરાજિત કર્યા હતા. તેણે કાશી (બનારસ) જવાનું નક્કી કર્યું અને વિદ્વાન પંડિતોને પડકાર્યા. તે ત્યાં હાર્યો હતા. હતાશ થઈને તેણે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું.
       તે ગંગા નદી પર ગયા અને ડૂબી જવાનું નક્કી કર્યું. તે સમયે શ્રી મહાપ્રભુજી સંધ્યાવંદન કરી રહ્યા હતા અને કૃષ્ણદાસ મેઘને તેમને પૂછ્યું, આત્મહત્યાનું શું ફળ છે? શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે આત્મા સાત જીવન નરક ભોગવશે અને અહીં કે અન્યત્ર કોઈ ફળ પ્રાપ્ત કરશે નહીં. રાણા વ્યાસ નજીકમાં હતા અને બંનેની વાતચીત સાંભળી હતી. તે શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને કહ્યું કે આપે જે કીધુંએ મારા ફાયદા માટે કીધું છે. તેઓ શ્રી મહાપ્રભુજીના સેવક બન્યા, અને શ્રીમહાપ્રભુજીએ તેમને ચતુ:શ્લોકી નામનો ગ્રંથ શીખવાડીયો. બીજા દિવસે તે શાસ્ત્રાર્થ કરવા ગયા અને વિજયી થયા. આ બધું તેમના મહાન ગુરુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયું હતું.
       શ્રી મહાપ્રભુજી ગોધરામાં તેમના ઘરે ગયા ત્યારે તેમણે શ્રીમહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજી માંથી વેણુગીતનો સાચો અર્થ સમજાવ્યો.
બેઠકનું સરનામું : રાણા વ્યાસ માર્ગ, પટેલ વાડા, પોસ્ટ ગોધરા - ૩૨૯૦૦૧, જિ.પંચમહેલ, ગુજરાત. 

સંપર્ક : ૦૨૬૭-૨૪૦૪૪૨, ૦૯૮૯૮૪૯૩૮૯૩

૭૧માં બેઠકજી શ્રીખેરાલુમાં

શ્રી મહાપ્રભુજીના બેઠકજી ઉત્તર ગુજરાતના ખેરાલુ શહેરમાં જોશી ભાઈઓ-જગન્નાથ અને નરહરિના ઘરે સ્થિત છે.
       અહીં શ્રી મહાપ્રભુજીએ તેમની સુબોધિનીજી પર આધારીત ભાગવતના યુગલ ગીત પર રસપ્રદ ચર્ચા કરી. નવ કલાક સુધી તે ફક્ત એક શ્લોક પર બોલતા રહ્યા અને ત્યાં હાજર બધા સંપૂર્ણ આનંદમાં ડૂબી ગયા. શ્રી મહાપ્રભુજીએ તેમને શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ આપ્યુંજે હજી ત્યાં અસ્તિત્વમાં છે.
       એકવાર ગરમ દૂધનો ખીર લેતી વખતેભગવાન શ્રી બાલકૃષ્ણજીના હાથ અને અન્ય શ્રીઅંગ દાજી ગયા. આ દાજી ગયેલા નિશાન આજે પણ જોવા મળે છે.
       શ્રી મહાપ્રભુજી તેમની ભારત યાત્રા દરમિયાન ત્રણ વખત આ સ્થળે ગયા હતા. શ્રી મહાપ્રભુજીએ જોશી ભાઈઓની માતાને પહેલી યાત્રા દરમિયાન ઝારીજીબીજી યાત્રા દરમિયાન લાકડાના લાકડી અને ત્રીજી યાત્રા દરમિયાન શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ આપવ્યું હતું. આ બધી વસ્તુઓ બેઠકજીમાં અસ્તિત્વમાં છે.
બેઠકનું સરનામું : શ્રીમાળી વાડા પોસ્ટ ખેરાલુ - ૩૮૪૩૨૫જિ. મહેસાણાગુજરાત. (નિધિ ના સ્વરૂપ અહીં બિરાજમાન છે તેથી વૈષ્ણવો ઝારીજી ભરી શકતા નથી.

સંપર્ક : ૦૨૭૬૧-૨૩૦૧૩૦

૭૨માં બેઠકજી સિદ્ધપુરમાં

    શ્રી મહાપ્રભુજીના બેઠકજી સરસ્વતી નદી પર સિદ્ધપુરમાં  બિંદુ તળાવ પર સ્થિત છે. બેઠકજીમાં આધુનિક સુવિધા સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનકરણ માટે વૈષ્ણવ પરિવારના સ્વ.શ્રી રમેશભાઇ પરીખે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

       ભગવાન બ્રહ્માજીના પુત્ર કર્દમ ઋષીએ અહીં તેમના આશ્રમ ની સ્થાપના કરી હતી. ભગવાન કપિલદેવે તેમની માતા દેવહુતિ (કર્દમ ઋષીની પત્ની) ને સાંખ્ય યોગ પદ્ધતિ શીખવી હતી. ત્યારબાદ દેવુતીએ પાણીનું સ્વરૂપ લીધું અને બિંદુ તળાવમાં ભળી ગયું. એવું પણ કહેવામાં આવે છે કે તળાવ ભગવાનના આનંદના આંખના ટીપાંથી બનાવવામાં આવ્યું હતું.
       આ ક્ષેત્રના માયાવદીઓએ શ્રી મહાપ્રભુજીને શાસ્ત્રાર્થ માટે પડકાર આપ્યો હતો. શ્રી મહાપ્રભુજી દ્વારા તે બધા ખૂબ જ સરળતાથી પરાજિત થઈ ગયા. તેમણે તેમને હિન્દુ શાસ્ત્રોના આધારે તેમના દ્વારા સ્થાપિત બિન દ્વૈતવાદ (non dualismનો અર્થ સમજાવ્યો. ઘણા જીવો શ્રીમહાપ્રભુજીના સેવક બન્યા.
બેઠકનું સરનામું : બિંદુ સરોવર રોડ, સિદ્ધપુર – ૩૮૪૧૫૧ જિ.પાટણ, ગુજરાત
સંપર્ક : ૦૨૭૬૭-૩૦૯૫૪૭

 

 


૮૪ બેઠક ચરિત્ર ભાગ-૭

 

   

 

 

 

 

 

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ